ADVERTISEMENT

ADVERTISEMENT

રોહિત શર્મા અને વિરાટ કોહલીની સેલરી ઘટાડી શકે છે BCCI: સૂત્રો

BCCIના સૂત્રો તરફથી IANSને મળેલી માહિતી અનુસાર, સિલેક્શન કમિટીનો પ્રસ્તાવ હજુ સુધી ઔપચારિક રીતે બોર્ડના ટોચના અધિકારીઓને સોંપવામાં આવ્યો નથી.

 રોહિત શર્મા અને વિરાટ કોહલી રોહિત શર્મા અને વિરાટ કોહલી / IANS

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની આગામી એપેક્સ કાઉન્સિલની બેઠક ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વની રહેશે. અજિત અગરકરની આગેવાની હેઠળની પાંચ સભ્યોની સિલેક્શન કમિટીએ પુરુષ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સંભવિત ફેરફારો અંગે કેટલાક પ્રસ્તાવ તૈયાર કર્યા છે. આ પ્રસ્તાવો પર એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થશે.

BCCIના સૂત્રો તરફથી IANSને મળેલી માહિતી પ્રમાણે, સિલેક્શન કમિટીનો પ્રસ્તાવ હજુ સુધી ઔપચારિક રીતે બોર્ડના ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો નથી, પરંતુ આગામી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં તેને એજન્ડામાં સામેલ કરવામાં આવે તે નક્કી માનવામાં આવી રહ્યું છે.

સૂત્રો અનુસાર સૌથી મહત્વની ચર્ચા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની ગ્રેડિંગ સિસ્ટમ અંગે થઈ શકે છે. હાલમાં ખેલાડીઓને એ+, એ, બી અને સી ગ્રેડમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં અનુક્રમે ૭ કરોડ, ૫ કરોડ, ૩ કરોડ અને ૧ કરોડ રૂપિયાની રકમ છે. માહિતી મુજબ એ+ ગ્રેડને ધીમે ધીમે નાબૂદ કરવા પર વિચાર થઈ રહ્યો છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય એપેક્સ કાઉન્સિલ જ લેશે. જો આ ફેરફાર લાગુ થાય તો રિટેનર રકમમાં પણ સુધારો થઈ શકે છે.

હાલમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા એ+ ગ્રેડમાં સામેલ છે. બદલાતા ક્રિકેટ કેલેન્ડર અને ખેલાડીઓની ફોર્મેટ પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને આ સવાલ ઉઠી રહ્યો છે કે શું માત્ર મર્યાદિત ફોર્મેટ રમતા ખેલાડીઓ જ ટોપ ટાયરમાં રહી શકશે. રોહિત અને કોહલી હાલમાં માત્ર વનડે ક્રિકેટ રમી રહ્યા છે, જ્યારે જાડેજા ટેસ્ટ અને વનડે સુધી મર્યાદિત છે. જો કોન્ટ્રાક્ટ સિસ્ટમને પર્ફોર્મન્સ અને ફોર્મેટ ઉપલબ્ધતા સાથે જોડવામાં આવે તો આ ખેલાડીઓની ગ્રેડિંગ પર અસર પડી શકે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર એક જ ફોર્મેટ રમે છે. આવી સ્થિતિમાં તેમની ગ્રેડ નીચી કરી શકાય છે, જેનાથી તેમને વાર્ષિક મળતી સેલરીમાં ઘટાડો થઈ શકે છે.

૨૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલી ૨૦૨૪-૨૫ સત્રની કોન્ટ્રાક્ટ યાદી અનુસાર, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને ઋષભ પંત ગ્રેડ એમાં હતા. તેમજ ટી૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓ ગ્રેડ બીમાં સામેલ હતા. ગ્રેડ સીમાં ઘણા યુવા અને ઉભરતા ખેલાડીઓને સ્થાન મળ્યું હતું. હવે બધાની નજર બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠક પર છે, જ્યાં નક્કી થશે કે ભારતીય ક્રિકેટની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવનારા વર્ષોમાં કઈ દિશામાં આગળ વધશે.

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?