ADVERTISEMENT

ADVERTISEMENT

BAPSના ભદ્રેશદાસ સ્વામીને ‘વેદાંતવિદ્યા-વિશ્વગુરુ’નું સન્માન

તેમણે આ સન્માન ભગવાન સ્વામિનારાયણ તેમજ પોતાના ગુરુઓ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને અર્પણ કર્યું.

 ભદ્રેશદાસજીને વેદાંતવિદ્યા-વિશ્વગુરુથી નવાજવામાં આવ્યા ભદ્રેશદાસજીને વેદાંતવિદ્યા-વિશ્વગુરુથી નવાજવામાં આવ્યા / BAPS Swaminarayan Sanstha

કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીએ BAPSના વિદ્વાન અને તત્ત્વચિંતક ભદ્રેશદાસ સ્વામીને વેદાંત, સંસ્કૃત સાહિત્ય અને ભારતીય દાર્શનિક પરંપરામાં તેમના યોગદાન બદલ ‘વેદાંતવિદ્યા-વિશ્વગુરુ’ની પદવીથી સન્માનિત કર્યા છે.

નવી દિલ્હીના BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વરિષ્ઠ વિદ્વાનો અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. ઉડુપી સ્થિત પેજાવર અધોક્ષજ મઠના વિશ્વપ્રસન્ન તીર્થ, કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રીનિવાસ વરખેડી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ સહિત અન્ય શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કુલપતિ શ્રીનિવાસ વરખેડીએ જણાવ્યું હતું કે, સંસ્કૃત પ્રસ્થાનત્રયીની પરંપરામાં અક્ષર-પુરુષોત્તમ દર્શનના શાસ્ત્રીય માળખાને સ્થાપિત કરવામાં ભદ્રેશદાસ સ્વામીના કાર્યનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે અને આ સન્માન આપવાનું તે એક મુખ્ય કારણ છે.

વિશ્વપ્રસન્ન તીર્થે ભદ્રેશદાસ સ્વામીના દાર્શનિક યોગદાનની પ્રશંસા કરી હતી. જ્યારે સુકાંત કુમાર સેનાપતિએ સંસ્કૃત અને વેદાંતના વિદ્વાન તરીકે ભદ્રેશદાસ સ્વામીને મળેલી આંતરરાષ્ટ્રીય માન્યતાને રેખાંકિત કરી હતી.

BAPS Swaminarayan Akshardham in New Delhi / BAPS Swaminarayan Sanstha

ભદ્રેશદાસ સ્વામીએ સ્વામિનારાયણ ભાષ્ય સહિત પ્રસ્થાનત્રયી, ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને ભગવદ્ ગીતા પર સંસ્કૃત ભાષામાં ભાષ્યો લખ્યાં છે. તેમણે ‘સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા’ નામનો સંસ્કૃત ગ્રંથ પણ લખ્યો છે, જેમાં અક્ષર-પુરુષોત્તમ દાર્શનિક પરંપરાને રજૂ કરવામાં આવી છે.

તેઓ નવી દિલ્હીમાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વડા તરીકે સેવા આપે છે. તેઓ IIT ખડગપુરમાં વિશિષ્ટ પ્રોફેસર અને IIT રૂરકીમાં વિશિષ્ટ વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કાર્યરત છે. તેમણે M.A., Ph.D. અને D.Litt.ની ડિગ્રી મેળવી છે. IIT ખડગપુર દ્વારા તેમને માનદ ડૉક્ટર ઑફ સાયન્સની પદવી પણ એનાયત કરવામાં આવી છે.

ભદ્રેશદાસ સ્વામીને વર્ષોથી અનેક શૈક્ષણિક અને સાહિત્યિક સન્માન પ્રાપ્ત થયા છે. જેમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર, સરસ્વતી સન્માન, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલોસોફિકલ રિસર્ચનો લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અને કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી ‘મહામહોપાધ્યાય’ની પદવીનો સમાવેશ થાય છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?